સોમવાર, 29 જુલાઈ, 2013

નર્સિંગ શાખાની બેઠકો માટે પ્રવેશ આરંભાશે
અમદાવાદ : નર્સિંગ શાખા માટે શૈક્ષણિક 2013-14ના વર્ષ માટે જી એન એમ, એ.એન.એમ કોલેજોની અંદાજે 5500થી વધારે બેઠકો પરની પ્રવેશ કાર્યવાહી 31મીજુલાઇથી શરૂ કરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એક્સિસ બેન્કની રાજ્યભરની 42 બ્રાન્ચ પરથી કામકાજના નિયત સમયમાં રૂ. 170 રોકડા ભરીને પ્રવેશ ફોર્મ મેળવી શકાશે. 170 રૂપિયામાં 150 પ્રવેશ ફોર્મ ફી તેમજ 20 પ્રોસેસ ફી રહેશે. તો બીજી તરફ અમદાવાદ ખાતેની સિવિલ હોસ્પિટલના જીએનએમ, એએનએમ પ્રવેશ સમિતિ ખાતે પહેલી ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમિયાન મળશે.

પ્રવેશ ઇચ્છુક વિદ્યાર્થીઓએ અરજીપત્રકો માર્કશીટ, જાતિ અંગેના પ્રમાણપત્રો વગેરેની નકલો સાથે એડમિશન કમિટિ ફોર પ્રોફેશનલ મેડકિલ એજ્યુકેશન કોર્સીસ, ટ્રોમો સેન્ટરની સામે, ટ્રાન્ઝિટ વોર્ડની પાછળ, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદમાં જમા કરવાની રહેશે. 17મી ઓગસ્ટ બાદ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો પર પ્રવેશ ઇચ્છુક ઉમેદવારોએ મેનેજમેન્ટ ક્વોટાનું ફોર્મ પણ ભરેલું હોવુ જરૂરી છે.info by ggn news

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો