બુધવાર, 17 એપ્રિલ, 2013

ભરૂચ મુકામે તા.૧૫ થી ૨૫ મે દરમ્યાન લશ્કરી ભરતી મેળો યોજાશે. તા.૨૦ મે ના દિવસે બનાસકાંઠા અને વડોદરાના યુવાનોને પસંદગી માટે સુવર્ણ તક. આર્મી રીક્રુટમેન્ટ ઓફિસ, કેમ્પ હનુમાન, અમદાવાદ તરફથી જણાવ્યા મુજબ તા.૧૫ થી ૨૫ મે-૨૦૧૩ દરમ્યાન ભરૂચ પોલીસ પરેડ ગ્રાઉન્ડ બમ્બાખાના ખાતે લશ્કરી ભરતી મેળો યોજવામાં આવ્યો છે. જેમાં ઉત્તર,મધ્ય અને દક્ષિણ ગુજરાતના ૧૮ જિલ્લાઓના યુવાનોને ભરતીથવાની તક મળશે. જેમાં સોલ્જર જનરલ ડ્યુટી, સોલ્જર જનરલ ડ્યુટી(એસ.ટી.) સોલ્જર કલાર્ક/ ­સ્ટોરકીપર અને ટેકનિકલ અને સોલ્જર ટેકનિકલ નર્સીંગ આસીસટન્ટ જગ્યાઓ માટે ભરતી કરાશે. ભરતી માટે યુવાનોને સવારે ૪ વાગે પ્રવેશ આપવામાં આવશે. વય મર્યાદા સોલ્જર જનરલ ડ્યુટી માટે ૧૭.૫ વર્ષથી ૨૧ વર્ષ અને અન્ય જગ્યાઓ માટે ૧૭.૫ થી ૨૩ વર્ષ છે. ઉમેદવારોએ તેમના અસલ પ્રમાણપત્રો સાથે ૪ સેટ પ્રમાણિત કરેલ ઝેરોક્ષ કોપીના લાવવાના રહેશે. શિક્ષણ અંગેના પ્રમાણપત્રોમાં જણાવેલ સાચા નામ અંગે એફિડેવિટ તેમજ ઘરના સરનામા માટે બે સાક્ષીઓની હાજરીમાં નોટરી સમક્ષ કરેલ સહીઓનો પત્ર સાથે લાવીને રજુ કરવાનો રહેશે. વધુ માહિતી કે માર્ગદર્શન માટે આર્મી રીક્રુટમેન્ટ હેલ્પલાઇન નં.૦૭૯-૨૨૮૮૬૪૬૪ ­ ઉપર સંપર્ક કરી શકાશે. બનાસકાંઠા અને વડોદરા જિલ્લાના યુવાનોની ભરતી,પસંદગી માટે તા.૨૦ મે-૨૦૧૩ નો દિવસ નક્કી કરવામાં આવ્યો છે. ભરતી અંગેની વધુ માહિતી અને માર્ગદર્શન માટે આર્મી રીક્રુટમેન્ટ હેલ્પલાઇન નં.૦૭૯-૨૨૮૮૬૪૬૪ ­ ઉપર સંપર્ક કરો.                 info by pravin dabhani

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો